રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 84.74 ટકા

ત્રણ દિવસની મેઘમહેર બાદ મેઘરાજાનો વિરામ, સિઝનમાં 84.74% વરસાદ 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ; કચ્છના માંડવીમાં સૌથી વધુ 117 મિમી, ત્રણ દિવસમાં જ સિઝનના વરસાદમાં 10 ટકાનો વધારો રાજકોટ, તા.16: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના રાઉન્ડ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલે એક દિવસ સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં … Read more

કેન્દ્રીય મંત્રીઓની મિલકતો જાહેર: ગાય-ઘેટાંથી લઈને ક્રિપ્ટો અને જૂનાં વાહનો સુધી

PM મોદીની સંપત્તિમાં વધારો; મંત્રીઓની જાહેર કરાયેલી મિલકતોમાં જોવા મળ્યા વિવિધ પ્રકારના રોકાણ નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મંત્રીઓએ વર્ષ 2025-26 માટે 31 માર્ચ 2026ની સ્થિતિએ પોતાની મિલકતો અને જવાબદારીઓની વિગતો જાહેર કરી છે. વડાપ્રધાન કાર્યાલયની સત્તાવાર વેબસાઇટ પર વડાપ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીઓની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલી વિગતોમાં રોકાણ, જમીન-મકાન ઉપરાંત વાહનો, પશુધન, … Read more

રેલવે ટિકિટથી પેટ્રોલ પંપ સુધી, 5 પ્રકારના UPI પેમેન્ટ પર ફ્લેટ રૂ.5 MDR

UPI ટ્રાન્ઝેક્શન માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્કને લઈને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. NPCIના નવા પરિપત્ર મુજબ તમામ વ્યવહારો પર એકસમાન ચાર્જ નહીં લાગે. ₹2,000થી ઓછી રકમના પર્સન-ટુ-મર્ચન્ટ UPI વ્યવહારો પર MDR શૂન્ય રહેશે, જ્યારે ₹2,000થી વધુના કેટલાક વ્યવહારો પર 0.4% MDR લાગુ થશે. જોકે, પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રોને આ સામાન્ય દરમાંથી અલગ રાખીને … Read more

ગુજરાતના 240 તાલુકામાં વરસાદથી કૃષિ ચિત્ર સુધરવાની આશા

ગુજરાતમાં એકાદ મહિના બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવતા ખરીફ પાકને જીવતદાન મળવાની આશા જાગી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતા સુકાવા લાગેલા મગફળી, કપાસ અને કઠોળ સહિતના પાકને રાહત મળી છે. વરસાદના નવા રાઉન્ડથી ખેતી ઉત્પાદનનું ચિત્ર સુધરવાની સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક વધવાની આશા છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ … Read more

સવા મહિનાના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : કાલથી ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદનો નવો રાઉન્ડ

17 સપ્ટેમ્બર સુધી દોઢથી છ ઇંચ સુધી વરસાદની શક્યતા : કેટલાક વિસ્તારોમાં 150 મીમીથી વધુ વરસાદની આગાહી, સરદાર સરોવર 93%થી વધુ ભરાયો રાજકોટ, તા.12 : સવા મહિનાથી વરસાદ ખેંચાતા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચિંતાનું વાતાવરણ વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યા છે. હવામાનની સ્થિતિમાં બદલાવ આવતા આવતીકાલથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. જાણીતા વેધર … Read more

ગુજરાત પોલીસ ભરતી અંગે હાઇકોર્ટમાં સરકારનું એફિડેવિટ

કોન્સ્ટેબ્યુલરીની 11 હજારથી વધુ ભરતી અંતિમ તબક્કામાં : 10,930 ઉમેદવારોના પેપર-2ની ચકાસણી ચાલુ, વધુ 3 હજાર ભરતી ઓક્ટોબરમાં અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે મહત્વનું એફિડેવિટ રજૂ કર્યું છે. સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા તેમજ આગામી ભરતી અંગે હાઇકોર્ટ સમક્ષ … Read more

નેપાળમાં હજુ 30 ગુજરાતી લાપતા, 29 પરિવારોના DNA સેમ્પલ લેવાયા

ગુમ થયેલા લોકોની ઓળખ માટે DNA પ્રોફાઇલિંગ શરૂ; ગુજરાત સરકાર NRGF, કેન્દ્ર અને નેપાળ સત્તાવાળાઓ સાથે સંકલનમાં ગાંધીનગરઃ નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ સંપર્કવિહોણા થયેલા ગુજરાતના વતનીઓ અને બિનનિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી DNA સેમ્પલ એકત્ર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. તાજી માહિતી મુજબ નેપાળમાં પૂર બાદ ગુજરાતના કુલ … Read more

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ

ખેડૂતો 9 ઓક્ટોબર સુધી કરાવી શકશે વિનામૂલ્યે નોંધણી; મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને તેમની ઉત્પાદિત કૃષિ જણસોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ તેમને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે ખરીફ સીઝન 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે. કૃષિ … Read more

‘વંદે માતરમ્’ વિવાદ પર ઈમરાન ખેડાવાલાનો જવાબ, ભાજપે કહ્યું- ‘દેશનું અપમાન’

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભ સાથે જ ‘વંદે માતરમ્’ને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પર ભાજપે ‘વંદે માતરમ્’નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગવાની સાથે ધારાસભ્યને માફી માંગવા પણ કહ્યું છે. ઈમરાન ખેડાવાલાએ શું કહ્યું? વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ‘વંદે … Read more

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર 10 અને 11 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે

અમદાવાદ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર 10 અને 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. ત્યારબાદ તેઓ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી મેળવવા માટે અડાલજની વાવની મુલાકાત લેશે. સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે ‘ભારતમાં ચૂંટણીઓનું સંચાલન-વિશ્વની … Read more